Back to feed

દિલ ખોલી તું યાદ કરી લે...

આપણે આપણા જીવનમાં ક્યારેક સંબંધો નિભાવવામાં કાચા પડતાં હોઈએ છીએ જેને પરિણામે જીવનની શાંતિ ભંગ થઈ જતી હોય છે અને આપણે નિરાશામાં સરકી જતાં હોઈએ છીએ, એવા સમયને ધ્યાનમાં લઈને મને એક ગઝલ સૂઝી જે આપ સહુને ચોક્કસ પસંદ આવશે.

  • *દિલ ખોલી તું યાદ કરી લે*

દિલ ખોલી તું યાદ કરી લે
છૂટેલાં ને સાદ કરી લે...

સાદ ન આવે સામેથી તો
ત્યાં જઈને સંવાદ કરી લે...

ઊંડો સરખો પ્રેમ કરીને
પોતાને બરબાદ કરી લે...

તો પણ ખૂટે ભાવ તમારો
રાધા કૃષ્ણનો વાદ કરી લે..

- મનીષા દુધાત "મનમંદિર"

Baatcheet